આ કુરઆન મહાન અને સર્વોત્તમ ઈશ્વર (અરેબિકમાં અલ્લાહ)ના અક્ષરસહ શબ્દો છે જે તેને દેવદૂત (ફરિશ્તા) જિબ્રીલ મારફતે તેના ઇશદૂત (પયગંબર) મુહંમદ (સ.અ.વ.)ના ઉપર ઉતારવામાં આવેલ છે.
“આ પુસ્તક (કુરઆન) અલ્લાહ તરફ થી ઉતરવામાં આવેલ છે, જે શક્તિશાળી, અને શાણપણ ધરાવનાર છે.” (કુરઆન ૩૯:૧)
“આ કુરઆન માનવજાતિ માટે માર્ગદર્શન…. અને (સત્ય અને અસત્ય વચ્ચે) ભેદ કરનાર છે.” (કુરઆન ૨:૨૮૫)
કુરઆન માનવજાતિને સત્ય અને અસત્ય વચ્ચે નિર્ણય લેવા માટેની દિશા બતાવે છે જેની વિના મનુષ્ય ચોક્કસ થી નુકસાનમાં રહેત.
આ કુરઆન મહાન ઈશ્વર (અલ્લાહ) તરફ થી આપવામાં આવેલ ધર્મગ્રંથ છે જે તેની પહેલા આવેલ આસમાની પુસ્તકો (ધર્મગ્રંથો)નું સમર્થન કરે છે અને તે પહેલાના ધર્મગ્રંથોની અંદર જે કઈ બનાવટી ઉમેરો થયો હતો તેનું ખંડન કરે છે અને જે કઈ અમુક વાતો છુપાવેલી હતી તેને જાહેર કરે છે. આમ આ કુરઆન પાછલા ધર્મગ્રંથોની બદલેલ વાતોને સુધારનાર અને સત્ય વાતો જાહેર કરનાર છે.
“અય લોકો કે જેમને ધર્મગ્રંથો આપવામાં આવેલ છે! અમે જે કઈ (ઈશવાણી) ઉતરેલ છે તેને માનો કે જે તમારી પાસે (ધર્મગ્રંથ) છે તેની પુષ્ટી પણ કરે છે.” (કુરઆન ૪:૪૭)
આ કુરઆન ઇશદૂત (પયગંબર) મુહંમદ (સ.અ.વ.) ઉપર અરેબિક ભાષામાં ઉતારવામાં આવ્યું અને અત્યારે પણ તે તેની મૂળ ભાષામાં અસ્તિત્વમાં છે. જો કે કુરઆનને સમજવા માટે અરેબિકમાંથી ઘણીબધી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યું છે જેને માત્ર અનુવાદ કહી શકાય. મૂળ કુરઆન તો ફક્ત અરેબિક ભાષામાં જ છે.
કુરઆનને મહાન અલ્લાહ (ઈશ્વર) તરફ થી એક સાથે પુસ્તકના સ્વરૂપમાં મોકલવામાં આવેલ નથી પરંતું તેને બદલે તેને ધીરે ધીરે ૨૩ વર્ષના સમયગાળામાં ઉતરેલ છે.
આ કારણોસર તે ખૂબજ જરૂરી બને છે કે કઈ આયાત (શ્લોક/પંક્તિ) ક્યારે અને કેવા સંજોગોમાં ઈશ્વર તરફ થી ઉતરવામાં આવેલ છે જેથી તેને યોગ્ય રીતે સમજી શકાય, નહીતર તેના ઉપદેશોને માટે ગેરસમજ પણ થઇ શકે છે.
આ કુરઆન એક માત્ર પવિત્ર ધર્મગ્રંથ છે જે એક લાંબા સમયની મુદ્દત થી ફેલાયેલ છે અને છતાં પણ તે હજુપણ તેની અસલ અને શુધ્ધ સ્થિતિમાં છે જે પહેલી વખત ઉતરેલ છે. તેની અંદર કઈ પણ ઉમેરો કે ઘટાડો કે ફેરફારો થયેલ નથી. તે હાલ પણ તેજ સ્થિતિમાં છે જે આજથી ૧૪૦૦ વર્ષ પહેલા ઉતરેલ હતું.
“કોઈ પણ જાતની શંકા વિના અમે સંદેશો (કુરઆન) મોકલેલ છે અને ચોક્કસપણે અમે જ તેની (અંદરના ફેરફારથી) રક્ષા કરનાર છીએ” (કુરઆન ૧૫:૯)
કુરઆનને ફક્ત લખાણના સ્વરૂપે સચવાયેલ નથી પરંતુ તે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના હૃદયમાં પણ છે. આજે વિશ્વમાં કરોડો લોકો છે જે કુરઆનને પ્રથમ પાનાં થી અંતિમ પાનાં સુધી યાદ કરેલ છે.
આ કુરઆન આધુનિક વિજ્ઞાન નો વિરોધાભાસ કે ખંડન નથી કરતું પરંતુ તેને બદલે તેને આધાર આપે છે.
આ કુરઆનની સૌથી નોધનીય અને અસાધારણ બાબત એ છે કે તેની ઘણીબધી આયાતો (શ્લોકો) ખુબજ સચોટ રીતે અને ચોક્કસતાપૂર્વક જુદાજુદા ક્ષેત્રોને લગતી માહિતી આપે છે. ઉદાહરણ તરીકે ગર્ભવિજ્ઞાન, હવામાનશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, સમુદ્રી વિજ્ઞાન. આ માહિતી એટલી સચોટ છે કે વૈજ્ઞાનિકો તેના વર્ણન થી નવાઈ પામી ગયા કે સાતમી સદીમાં વર્ણવેલી વાત આટલી સચોટ કેવી રીતે હોઈ શકે. આ વર્ણન ફક્ત આજના આધુનિક ઉપકરણોની મદદથી જ જાણી શકાય છે.
“અમે તેમને બ્રહ્માંડમાં અમારી નિશાનીઓ (ચિન્હો) બતાવીશું અને તેમની પોતાની જાતમાં પણ, ત્યાં સુધી કે તે સ્પસ્ટ થઇ જાય કે આ (કુરઆન) સત્ય છે.” (કુરઆન ૪૧:૫૩)
વાસ્તવમાં કુરઆનમાં જણાવેલા ઘણાબધા વૈજ્ઞાનિક ચમત્કારની શોધ આજના જમાનામાં અત્યાધુનિક તકનીકી સાધનોની મદદ થી કરવામાં આવેલ છે. થોડા ઉદાહરણો નીચે મુજબ છે.
ઈશ્વરે આ નિશાનીઓ ૧૪૦૦ વર્ષ પહેલા કુરઆનમાં સ્પષ્ટપણે જણાવેલ હતી.
જ્યારથી આ કુરઆનને ઉતારવામાં આવ્યું છે ત્યારથી આ સુધી કોઈ એક પણ વ્યક્તિ એ કુરઆનના એક અધ્યાય જેવું અધ્યાય બનાવી શક્યા નથી. કુરઆન તેની સુંદરતા, છટાદાર વાણી, ભવ્યતા, શાણપણ, ભવિષ્યવાણી, વાક્યરચના અને અન્ય સંપૂર્ણ લક્ષણો માટે અજોડ છે. અલ્લાહ (ઈશ્વર) કુરઆનમાં પડકાર આપતા કહે છે કે,
“અને અમે અમારા સેવક ઉપર જે (કુરઆન) ઉતરેલ છે તે અંગે જો તમને શંકા હોય તો પછી તમે પણ તેના જેવું એક પ્રકરણ (અધ્યાય) પેદા કરો અને અલ્લાહ સિવાય તમારા તમામ મદદગારને મદદ માટે બોલાવી લો, જો તમે સાચા હોય તો” (કુરઆન ૨:૨૩)
જે લોકો એ પયગંબર મુહંમદ (સ.અ.વ.)ને નકારી કાઢેલ તેઓ તે સમયમાં તેમની પોતાની માતૃભાષા અરેબિકમાં ખુબજ પ્રખર હોવા છતાં આ પડકાર નો જવાબ આપવામાં નિષ્ફળ ગયા હતા. તદુપરાંત, આ પડકાર આજ દિન સુધી નિરુત્તર રહેલ છે.
જયારે લોકો કઈ લખે છે ત્યારે તેમાં વિવિધ પ્રકારની ભૂલો જેમકે જોડણી અને વ્યાકરણ, વિરોધાભાસી નિવેદનો, અયોગ્ય હકીકતો, ખોટી માહિતી અને તેના જેવી અન્ય ભૂલો થવાની શક્યતા છે.
“જો આ (કુરઆન) અલ્લાહ સિવાય અન્ય કોઈની પાસેથી આવેલ હોત તો તેઓને ચોક્કસપણે તેમાં ઘણાબધા વિરોધાભાસ જોવા મળતા.” (કુરઆન ૪:૮૨)
આ કુરઆનની અંદર બિલકુલ વિરોધાભાસ નથી – ચાહે તે વરસાદ ચક્રની વૈજ્ઞાનિક સમજૂતી હોય અથવા ગર્ભવિજ્ઞાનને લગતી અથવા ભૂસ્તરશાસ્ત્ર અને બ્રમ્હાંડ લગતી માહિતી હોય કે પછી ઐતિહાસિક હકીકતો અને ઘટનાઓ હોય કે પછી ભવિષ્યમાં બનવાની ઘટનાઓ હોય.
ઇશદૂત (પયગંબર) મુહંમદ (સ.અ.વ.) માટે ઇતિહાસ જાણીતો છે કે તેઓ એક અભણ વ્યક્તિ હતા. તેઓ ન તો વાંચી શકતા હતા ન લખી શકતા હતા. તેઓ એ કોઇપણ ક્ષેત્રેમાં અભ્યાસ કર્યો ન હતો, તેઓ વૈજ્ઞાનિક માહિતી કે ઐતિહાસિક માહિતીનું ચોકસાઈથી વર્ણન કરી શકવા માટે અથવા એક સુંદરતાપૂર્વકનું સાહિત્યીક પુસ્તક આપવા માટે શિક્ષીત નહોતા. કુરઆનમાં જે રીતે અગાઉના લોકોની ચોકસાઈપૂર્વકની ઐતિહાસિક માહિતી અને તેમની સંસ્કૃતિનું વર્ણન કરવામાં આવેલ છે તે જોતા લાગે છે કે આ કુરઆન કોઈ મહાન હસ્તી દ્વારા વર્ણવાયેલ છે.
“અને આ કુરઆન તેવું નથી કે જેને અલ્લાહ સિવાય અન્ય કોઈ પેદા કરી શકે.” (કુરઆન ૧૦:૩૭)
“અને તમારો ઈશ્વર એક ઈશ્વર છે, તેના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી, સૌથી ઉદાર, સૌથી કૃપાળુ” (કુરઆન ૨:૧૬૩)
સમગ્ર કુરઆનમાં સૌથી મહત્વના વિષય નો જો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો તે છે એક માત્ર સાચા અલ્લાહ (ઈશ્વર)માં માન્યતા. અલ્લાહ (ઈશ્વર) આપણને જણાવે છે કે તેને કોઈ ભાગીદાર, કોઈ સાથીદાર, કોઈ પુત્ર, કોઈ પિતા કે તેની કોઈ બરાબર નથી. તેની ઈબાદત (પૂજા) સિવાય કોઈ અન્યની ઈબાદત (પૂજા) નો અધિકાર નથી. તે એક મહાન અલ્લાહ (ઈશ્વર)ની તુલનામાં અન્ય કોઈ નથી અને તેને સર્જન કરેલી વસ્તુઓ તેને સમાવી શકતી નથી.
“અને અલ્લાહની જ ઈબાદત (પૂજા) કરો તેની સાથે અન્ય કોઈને ભાગીદાર ન બનાવો” (કુરઆન ૪:૩૬)
ફક્ત એક જ અલ્લાહ (ઈશ્વર) ઈબાદત (પૂજા) કરવાને યોગ્ય છે તેથી ખોટા દેવી-દેવતાઓને નકારી કાઢવા જોઈએ. ઉપરાંત અલ્લાહ (ઈશ્વર)ના દિવ્ય અને અલૌકિક ગુણો પણ અન્ય કોઈની માટે વાપરી શકાય નહિ.
કુરઆનમાં ઘણીબધી સાચી ઘટનાઓને વર્ણવામાં આવેલ છે જેમાંથી બોધપાઠ મેળવી શકાય જેમકે આદમ, નૂહ, ઈબ્રાહીમ, મૂસા અને ઈશુ ખ્રિસ્ત વગેરે ઇશદૂતોની સાચી કથાઓ નો સમાવેશ થાય છે.અલ્લાહ કહે છે કે,
“ખરેખર તેમની વાતોમાં, પુરુષો માટે સમજવા માટે એક બોધપાઠ છે.” (કુરઆન ૧૨:૧૧૧)
આ ઉમદા પુસ્તક (કુરઆન) આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિ એ મૃત્યુ નો સ્વાદ ચાખવાનો છે અને તેમણે જે કઈ કર્મો કર્યા હશે તેને માટે તેમને જવાબદાર ગણવામાં આવશે.
“કયામતના દિવસે અમે ન્યાયિક રીતે વજન કરનાર ત્રાજવાં ગોઠવીશું પછી કોઈ વ્યક્તિ ઉપર અણું બરાબર પણ અત્યાચાર નહિ થાય.” (કુરઆન ૨૧:૪૭)
કુરઆન એક અતિ મહત્વની વાત શીખવે છે કે મનુષ્યના જીવન નો હેતુ કફ્ત એક ઈશ્વરની પૂજા કરવાનો છે અને ઈશ્વરે નિર્ધારિત કરેલ જીવનના નિયમો અનુસાર જીવન વિતાવવાનો છે. ઇસ્લામમાં, ઈબાદત (પૂજા) એક વ્યાપક શબ્દ છે જેની અંદર તે તમામ ક્રિયાઓ અને કથનો (ખાનગી અથવા જાહેરમાં કરવામાં આવે) ફક્ત અલ્લાહ નો પ્રેમ મેળવવા અને તેની ખુશી માટે કરવામાં આવે છે. તેથી એક મુસલમાન અલ્લાહ (ઈશ્વર)ના આદેશો મુજબ તેની ઈબાદત (પૂજા) કરી તેના જીવન નો હેતુ પૂર્ણ કરે છે. કુરઆનમાં નીચે મુજબના ઈબાદત (પૂજા)ના ઉદાહરણો આપેલા છે જે ફક્ત એક અલ્લાહ (ઈશ્વર) માટેજ થાય છે.
“અય ઈમાનવાળા લોકો! તમારી જાતને (ઈશ્વર સમક્ષ) નમાવી અને ઝુકાવી દો અને તમારા સ્વામીની ઈબાદત કરો જેથી તમે સફળ થાઓ (કુરઆન ૨૨:૭૭)
“અને (સારા કાર્ય માટે) વાપરો, તે તમારા આત્મા માટે સારું છે અને જે કોઈ પોતાના મનની લાલચ થી બચી ગયો તેજ સફળતા પ્રાપ્ત કરનાર છે.” (કુરઆન ૬૪:૧૬)
“સત્યને ઝૂઠ થી બદલવું નહિ કે જયારે તમને ખબર પડે ત્યારે સત્યને છુપાવવું નહિ” (કુરઆન ૨:૪૨)
“(ઈશ્વરમાં) વિશ્વાસ રાખનાર પુરુષોને કહો કે તેમની નજરોને બચાવીને રાખે અને ગુપ્ત્ભાગોની રક્ષા કરે અને (ઈશ્વરમાં) વિશ્વાસ રાખનાર સ્ત્રીઓનેને કહો કે તેમની નજરોને બચાવીને રાખે અને ગુપ્ત્ભાગોની રક્ષા કરે” (કુરઆન ૨૪:૩૦–૩૧)
અને અલ્લાહ તમને તમારા માતાના પેટમાંથી એવી હાલતમાં કાઢ્યા કે તમે કંઈ જાણતા ન હતા અને તેણે તમને કાન આપ્યા, આંખો આપી અને વિચારનારા હૃદય આપ્યા જેથી તમે તેનો આભાર માનો” (કુરઆન ૧૬:૭૮)
“(ઈશ્વરમાં) વિશ્વાસ રાખનારાઓ! ન્યાય માટે અડગતા થી ઉભા રહો અને અલ્લાહ માટે ગવાહી (સાક્ષી) આપો, ભલે પછી તે સાક્ષી તમારી પોતાની વિરુધ્ધ હોય કે તમારા માતાપિતા વિરુધ્ધ હોય કે તમારા સગાસંબંધીઓ કે પછી ધનવાન કે ગરીબ વિરુધ્ધ હોય…” (કુરઆન ૪:૧૩૫)
“અને ધીરજ રાખો કે તેમાં કોઈ શક નથી કે જે કંઇ સારા કાર્યો કરેલ છે તેનો બદલો અલ્લાહ (ઈશ્વર) નષ્ટ નહિ કરી નાખે” (કુરઆન ૧૧:૧૧૫)
“જેઓએ અલ્લાહ (ઈશ્વર)માં માન્યું અને સારા કાર્યો કર્યા તેઓ માટે અલ્લાહ તરફ થી માફી અને મહાન બદલો છે” (કુરઆન ૫:૯)
ટુંકમાં, કુરઆન માનવજાતે એક માત્ર સાચા અલ્લાહ (ઈશ્વર)ની ઈબાદત (પૂજા) કેવી રીતે કરવી તે શીખવે છે અને તેથી તેને લીધે માનવીના જીવન નો સાચો હેતુ પરિપૂર્ણ થાય છે અને તેમને આ લોક (દુનિયા) અને પરલોક (અખેરત)માં સફળતા મેળવવાનો સાચો રસ્તો બતાવે છે.
ખરેખર, અમે (ઓ મુહંમદ) તમારી તરફ માનવજાત માટે સત્ય (સચ્ચાઈ)ની સાથે ધર્મગ્રંથ (કુરઆન) ઉતાર્યું છે. તો જે કોઈ માર્ગદર્શન સ્વીકારે તો તેના માટે જ છે અને જે ગેરમાર્ગે જાય તો તેના પોતાના નુકસાન માટે જ ગેરમાર્ગે જાય છે” (કુરઆન ૩૯:૪૧)
શું તમને નથી લાગતું કે તમારે ઓછામાં ઓછું એક વાર આ ઉમદા પુસ્તકને વાંચવું જોઈએ?
“જેઓએ અલ્લાહ (ઈશ્વર)માં માન્યું અને સારા કાર્યો કર્યા તેઓ માટે અલ્લાહ તરફ થી માફી અને મહાન બદલો છે” (કુરઆન ૫:૯)